રસોઈ કા રાજા ઠગ ?
( How IPO and Bank Loan fraud has taken place by an expert)
IPC ૪૨૦ - ઠગાઈ ની કલમ છે .
ભારત એક ખેતી પ્રધાન દેશ છે , ૬૦% વસ્તી
ખેતી પર નભે છે એમાંથી ખાસ કરીને નોર્થ ઇન્ડિયા ના રાજ્યો જેવા કે પંજાબ, હરિયાણા
, બિહાર , ઉત્તર પ્રદેશ . ઘઉં અને ચોખા ત્યાંના મુખ્ય પાકો .
૧૯૯૬ મા કૃષ્ણ નગરી મથુરા મા એક rice
mill નો પાયો નંખાય છે ૨૦૧૩ મા યુદ્ધ નગરી બક્સર , બિહાર મા wheat mill નો શંખનાદ થાય
છે . કુલ પ્રોસેસીંગ કૅપેસિટી ૩ લાખ ટન વર્ષે , ઘઉં અને ચોખા માટેની. ગરીબ ખેડૂત ના
મનમાં આશા જાગે છે કે ફેક્ટરી આવાથી અમને સારો ભાવ મળશે . વળી પાછું , પ્રોડક્ટ નું
નામ પણ 'રસોઈ કા રાજા' બ્રાન્ડ .
Usher એગ્રો કંપની ના MD & CFO છે વી.કે.ચતુર્વેદી , જે એક C A છે એટલે ભેજું તો ગજબ નું . IPO આવે છે ૨૦૦૬ મા . વર્ષ ૨૦૦૫ મા વેચાણ ૩૮ કરોડ અને ૨૦૧૦ મા ૩૪૨ કરોડ , હનુમાન કૂદકો કેમકે ડ્રાઈવર એક શેતાની દિમાગ વાળા હતા . સંસ્થા ISO ૯૦૦૧:૨૦૦૦, HACCP સર્ટિફાય , એટલે ગુણવતા નું તો જોવાનું જ નહિ ! વળી પાછી સ્ટોક માર્કેટ મા લિસ્ટેડ, એટલે સૌથી વધુ ઓડિટ થાય અને નાણાકીય ગેરરીતિ નો કોઈ અવકાશ જ ના હોય , શ્રેષ્ઠ ઓડિટર , ડિરેક્ટર મા IAS અધિકારીઓ , દેશ વિદેશ ના કૃષિ નિષ્ણાંતો , આર્થિક નિષ્ણાંતો , એટલે જોરદાર ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ , માર્કેટ અવેરનેસ હોય જ . મુંબઈ જે આર્થિક રાજધાની કહેવાય છે ત્યાંની બેંકો ધડાધડ ટર્મ લોન, સી સી , ઓ ડી , વર્કિંગ કેપિટલ લોન , LC આપી . મળતિયાઓને કોર્પોરેટ ગેરંટી થી પણ લોન આપી .
હવે ખેલ શરુ થાય છે ,ઉદાહરણ તરીકે, ૩ કરોડ નું મશીન ૫ કરોડ મા ખરીદવું , હલકી ગુણવતા
ના માલ ને સારો માલ ગણી ઊંચું વેલ્યૂએશન કરાવવું , નફો વધારવો , સ્ટોક રિપોર્ટ ખોટો
આપવો , બોગસ ખરીદી ને વેચાણ બતાવવું , એક બીજા ની કંપની મા transaction કરવા, બોગસ
lorry receipt બનાવવાઈ , consortium bank ની જાણ બહાર બીજા ખાતા ખોલવા , પૈસા ટ્રાન્સફર
કરી લેવા , લેણદાર અને દેવાદાર સામસામે ચોપડે સેટ ઑફ કરી દેવા , વગેરે ટીકડામ્બાજી
કરી નાખી અને છેલ્લે હપ્તા ભરવામાં હાથ ઉંચા કરી દીધા .
2018 મા પ્રમોટર નો હિસ્સો ૧૫% , બેંકો
નો ૫૦% આમ જનતા નો ૩૫% . ૧૫ બેંકો ના રૂપિયા ૧૫૦૦ કરોડ ડૂબ્યા , રૂપિયા ૨૦ કરોડ બીજા
લેણદારો અને કર્મચારીઓના પગાર ના જેમની સંખ્યા
150 થી વધુ છે .
હવે liquidation /insolvency ના કેસો ચાલે
છે NCLT મા .
પણ , ઘોડો તબેલા માંથી છૂટ્યા પછી તાળું
મારવાનો અર્થ રહેતો નથી. પાછું બેંકો એમનું નાક બચાવવા કહે છે કે અમારા કર્મચારીઓ એ
તો નીતિ નિયમ મુજબ જ કામ કરેલ છે , છેવટે પૈસા કોના લૂંટાયા ? આપણા , આમ જનતા ના .
તેથી જયારે પણ કોઈ ની સાથે ધંધા મા જોડાઈએ ત્યારે કંપની ની વાસ્તવિક સિસ્ટમ કેવી છે
, નિયત કેવી છે તેનું એક્સપર્ટ જોડે due diligence કરાવવું ખુબ જરૂરી છે , IPO વખતે
RHP નો અભ્યાસ જરૂરી છે નહીંતર પૈસા ડૂબવાના ૧૦૦% ચાન્સ છે .debt restructuring પ્લાન
થી આપણને કશો લાભ થતો નથી . અત્યારે કંપની ની માર્કેટ કેપ ૧૦ કરોડ પણ નથી રહી અને જમીન
મશીન વેચો તો ૧૦૦ કરોડ પણ આવે એમ નથી.
એટલે આપણી ટીમ મા હંમેશા સાચું બોલનાર વ્યક્તિ
ને પાસે રાખવા જોઈએ અને એના મંતવ્યો ને એક વાર ધ્યાને ચોક્કસ આપવા જોઈએ .
ઇકુચી નો ટહુકો - '' લોભિયા નું ધન ધુતારા ખાય ''
CA Siddharth Bhatt # Issue/Bank Loan/ 16
9601661265 ikuchiadvisory@gmail.com


Very nice
ReplyDeleteperfect . do agree.
ReplyDeleteThis is a fact but until the last stage it is difficult to identify which company is genuine e.g. Yes Bank, many of Anil Dhirubhai Ambani Group companies
ReplyDeleteRight
ReplyDelete